Hosea 5:4
તેઓના દુષ્ટ કૃત્યો તેમને દેવ તરફ પાછા ફરતાં દૂર રાખે છે. કારણકે તેઓના હૃદયમાં વ્યભિચારી આત્મા દ્વારા પકડાયેલા છે, અને તેઓ યહોવાને નથી જાણતા.
Hosea 5:4 in Other Translations
King James Version (KJV)
They will not frame their doings to turn unto their God: for the spirit of whoredoms is in the midst of them, and they have not known the LORD.
American Standard Version (ASV)
Their doings will not suffer them to turn unto their God; for the spirit of whoredom is within them, and they know not Jehovah.
Bible in Basic English (BBE)
Their works will not let them come back to their God, for a false spirit is in them and they have no knowledge of the Lord.
Darby English Bible (DBY)
Their doings do not allow them to return unto their God; for the spirit of whoredoms is in the midst of them, and they know not Jehovah.
World English Bible (WEB)
Their deeds won't allow them to turn to their God; For the spirit of prostitution is within them, And they don't know Yahweh.
Young's Literal Translation (YLT)
They give not up their habitual doings, To turn back unto their God, For a spirit of whoredoms `is' in their midst, And Jehovah they have not known.
| They will not | לֹ֤א | lōʾ | loh |
| frame | יִתְּנוּ֙ | yittĕnû | yee-teh-NOO |
| their doings | מַ֣עַלְלֵיהֶ֔ם | maʿallêhem | MA-al-lay-HEM |
| turn to | לָשׁ֖וּב | lāšûb | la-SHOOV |
| unto | אֶל | ʾel | el |
| their God: | אֱלֹֽהֵיהֶ֑ם | ʾĕlōhêhem | ay-loh-hay-HEM |
| for | כִּ֣י | kî | kee |
| the spirit | ר֤וּחַ | rûaḥ | ROO-ak |
| whoredoms of | זְנוּנִים֙ | zĕnûnîm | zeh-noo-NEEM |
| is in the midst | בְּקִרְבָּ֔ם | bĕqirbām | beh-keer-BAHM |
| not have they and them, of | וְאֶת | wĕʾet | veh-ET |
| known | יְהוָ֖ה | yĕhwâ | yeh-VA |
| the Lord. | לֹ֥א | lōʾ | loh |
| יָדָֽעוּ׃ | yādāʿû | ya-da-OO |
Cross Reference
હોશિયા 4:12
વ્યભિચારના ભૂતે તેમને ગેરમાગેર્ દોરવ્યા છે.
1 યોહાનનો પત્ર 2:3
જો આપણે દેવે જે આપણને કહ્યું છે તેનુ પાલન કરીશું, તો પછી આપણને ખાતરી છે કે આપણે ખરેખર દેવને ઓળખીએ છીએ.
2 થેસ્સલોનિકીઓને 2:11
પરંતુ તે લોકોએ તો સત્યને ચાહવાનો અસ્વીકાર કર્યો, તેથી દેવે તેઓની તરફ તેઓને સત્યથી વેગળા દોરી જાય તેવું કઈક શક્તિશાળી મોકલ્યું છે. દેવ તેઓની તરફ તે તાકાત મોકલે છે જેથી કરીને જે સત્ય નથી તેનો જ તેઓ વિશ્વાસ કરે.
યોહાન 16:3
લોકો આ કામ કરશે કારણ કે તેઓએ પિતાને ઓળખ્યો નથી. અને તેઓએ મને પણ ઓળખ્યો નથી.
યોહાન 8:55
પણ ખરેખર તમે તેને ઓળખતા નથી. હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને જાણતો નથી, તો પછી હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તે જે કહે છે તેનું હું પાલન કરું છું.
યોહાન 3:19
આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં.
હોશિયા 4:6
મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. તમે જ્ઞાનને ફગાવી દીધું છે તેથી હું પણ તમને મારા યાજક પદેથી ફગાવી દઇશ. તમે મારો નિયમ ભૂલી ગયા છો એટલે હું પણ તમારા વંશજોને ભૂલી જઇશ.
હોશિયા 4:1
હે ઇસ્રાએલના લોકો, યહોવાને આ દેશના વતનીઓ સામે ફરીયાદ છે, એની વાણી સાંભળો, તમારા દેશમાં વિશ્વાસુપણું, માયામમતા અને દેવના જ્ઞાનનો અભાવ છે.
ચર્મિયા 50:38
તેનાં જળાશયો સુકાઇ જશે, શા માટે? કારણ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે મૂર્તિઓ પ્રત્યેના પ્રેમમાં પાગલ થઇ ગયા છે.
ચર્મિયા 24:7
હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.
ચર્મિયા 22:15
પરંતુ ભવ્ય મહેલ બનાવ્યા તેથી કાઇં મહાન રાજા થઇ શકાતું નથી! તારા પિતા યોશિયાએ શા માટે ઘણાં વષોર્ સુધી રાજ કર્યું? કારણ કે તે ન્યાયી હતો અને સર્વ વ્યવહારમાં પ્રામાણિક હતો. તેથી દેવે તેને આશીર્વાદ આપ્યો હતો.
ચર્મિયા 9:24
પરંતુ તેઓ ફકત આ એક બાબતમાં અભિમાન કરે કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું અને મારી પ્રીતિ અવિચળ છે કારણ કે આ જ મને પસંદ છે.” આ યહોવાના વચન છે.
ચર્મિયા 9:6
તેઓ ખોટે માગેર્ ચડી ગયા છે, પાછા ફરી શકે એમ નથી, અન્યાય પર અન્યાય અને છેતરપિંડી ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે! મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.” આ યહોવાના વચન છે.
ગીતશાસ્ત્ર 78:8
વળી તેઓ પોતાના પિતૃઓ જેવા હઠીલા, બંડખોર, અવિશ્વાસુ અને દેવને પોતાનું અંત:કરણ સોંપવાનો નકાર કરનાર ન થાય.
ગીતશાસ્ત્ર 36:1
દુષ્ટના ગહન હૃદયમાં પાપ તેને લલચાવે છે. અને દુષ્ટ કાર્યો કરવા પ્રેરે છે; તેના હૃદયમાં દેવનો ભય કે જે તેને પાપ કરતાં અટકાવે.
ગીતશાસ્ત્ર 9:10
જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે, કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.
1 શમુએલ 2:12
હવે એલીના પુત્રો દુષ્ટ હતા. તેઓને યહોવા પ્રતિ પ્રેમ ન હતો!