Proverbs 11:20
યહોવા માટે કપટી લોકો ઘૃણાસ્પદ છે; પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેને આનંદરુપ છે.
Proverbs 11:20 in Other Translations
King James Version (KJV)
They that are of a froward heart are abomination to the LORD: but such as are upright in their way are his delight.
American Standard Version (ASV)
They that are perverse in heart are an abomination to Jehovah; But such as are perfect in `their' way are his delight.
Bible in Basic English (BBE)
The uncontrolled are hated by the Lord, but those whose ways are without error are his delight
Darby English Bible (DBY)
The perverse in heart are abomination to Jehovah; but they that are perfect in [their] way are his delight.
World English Bible (WEB)
Those who are perverse in heart are an abomination to Yahweh, But those whose ways are blameless are his delight.
Young's Literal Translation (YLT)
An abomination to Jehovah `are' the perverse of heart, And the perfect of the way `are' His delight.
| They froward a of are that | תּוֹעֲבַ֣ת | tôʿăbat | toh-uh-VAHT |
| heart | יְ֭הוָה | yĕhwâ | YEH-va |
| are abomination | עִקְּשֵׁי | ʿiqqĕšê | ee-keh-SHAY |
| Lord: the to | לֵ֑ב | lēb | lave |
| but such as are upright | וּ֝רְצוֹנ֗וֹ | ûrĕṣônô | OO-reh-tsoh-NOH |
| way their in | תְּמִ֣ימֵי | tĕmîmê | teh-MEE-may |
| are his delight. | דָֽרֶךְ׃ | dārek | DA-rek |
Cross Reference
ગીતશાસ્ત્ર 119:1
જેઓ પવિત્ર જીવન જીવે છે, તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
1 કાળવ્રત્તાંત 29:17
હું જાણું છું, મારા દેવ કે તમે અંતરને તપાસો છો, અને ખરા મનની સચ્ચાઇ તમને ગમે છે, અને આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યુ છે. અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકો તમને સ્વેચ્છાએ ભેટ-સોગાદો અપેર્ છે તે જોઇને મને આનંદ થાય છે.
નીતિવચનો 21:29
દુર્જન અનિષ્ટ કરવા માટે કૃત્તનિશ્ચયી હોય છે; પણ સજ્જન વ્યકિત તો પોતાનો માર્ગ સત્ય છે તે જાણે છે.
નીતિવચનો 16:17
પ્રામાણિક માણસનો માર્ગ દુષ્ટતાથી દૂર હોય છે, જોઇવિચારીને ચાલનાર પોતાનો જીવ બચાવે છે.
નીતિવચનો 15:8
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
નીતિવચનો 13:6
સદાચાર ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુરાચાર પાપીઓને પછાડી નાખે છે,
નીતિવચનો 12:22
યહોવા અસત્યને ધિક્કારે છે, પણ સાચા માણસ પર પ્રસન્ન રહે છે.
નીતિવચનો 9:7
જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે. જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તે દુ:ભાય છે.
નીતિવચનો 8:13
યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.
નીતિવચનો 6:16
યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.
નીતિવચનો 6:14
તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે.
ગીતશાસ્ત્ર 140:13
યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.
ગીતશાસ્ત્ર 51:6
તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા, મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
ગીતશાસ્ત્ર 18:25
હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો. જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે, એને તમે એકનિષ્ઠ છો.
ગીતશાસ્ત્ર 11:7
કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે, જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.