Proverbs 30:8
અસત્ય અને વ્યર્થતાને મારાથી દૂર રાખજે, મને દરિદ્રતા કે દ્રવ્ય પણ ન આપ; મને જરૂર જેટલો રોટલો આપજે.
Proverbs 30:8 in Other Translations
King James Version (KJV)
Remove far from me vanity and lies: give me neither poverty nor riches; feed me with food convenient for me:
American Standard Version (ASV)
Remove far from me falsehood and lies; Give me neither poverty nor riches; Feed me with the food that is needful for me:
Bible in Basic English (BBE)
Put far from me all false and foolish things: do not give me great wealth or let me be in need, but give me only enough food:
Darby English Bible (DBY)
Remove far from me vanity and lies; give me neither poverty nor riches; feed me with the bread of my daily need:
World English Bible (WEB)
Remove far from me falsehood and lies. Give me neither poverty nor riches. Feed me with the food that is needful for me;
Young's Literal Translation (YLT)
Vanity and a lying word put far from me, Poverty or wealth give not to me, Cause me to eat the bread of my portion,
| Remove far | שָׁ֤וְא׀ | šāwĕʾ | SHA-veh |
| from | וּֽדְבַר | ûdĕbar | OO-deh-vahr |
| me vanity | כָּזָ֡ב | kāzāb | ka-ZAHV |
| lies: and | הַרְחֵ֬ק | harḥēq | hahr-HAKE |
| מִמֶּ֗נִּי | mimmennî | mee-MEH-nee | |
| give | רֵ֣אשׁ | rēš | raysh |
| neither me | וָ֭עֹשֶׁר | wāʿōšer | VA-oh-sher |
| poverty | אַל | ʾal | al |
| nor riches; | תִּֽתֶּן | titten | TEE-ten |
| feed | לִ֑י | lî | lee |
| food with me | הַ֝טְרִיפֵ֗נִי | haṭrîpēnî | HAHT-ree-FAY-nee |
| convenient | לֶ֣חֶם | leḥem | LEH-hem |
| for me: | חֻקִּֽי׃ | ḥuqqî | hoo-KEE |
Cross Reference
માથ્થી 6:11
અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ.
1 તિમોથીને 6:6
એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો.
લૂક 11:3
દરેક દિવસે અમને જરુંરી ખોરાક આપ.
ગીતશાસ્ત્ર 119:29
તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો; કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
ગીતશાસ્ત્ર 62:9
ખરેખર લોકો મદદ કરી શકતા નથી, દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી; ફકત તમારી દમન અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
સભાશિક્ષક 1:2
જે બધું અસ્તિત્વ ધરાવે છે તે બધુંજ નકામું છે સભા શિક્ષક કહે છે કે. સઘળું નિરર્થક છે.
યશાયા 5:18
જેઓ અન્યાયને અને પાપના બંધનને વળગી રહે છે, અને તેને છોડી શકતા નથી, તેઓને અફસોસ!
ચર્મિયા 37:21
જ્યારે રાજા સિદકિયાએ આજ્ઞા કરી કે, યમિર્યાને કેદમાં ન મોકલવામાં આવે, પરંતુ તેને રાજમહેલની જેલમાં રાખવામાં આવે અને નગરમાં રોટલી ખલાસ થઇ જાય ત્યાં સુધી તેને રોજ તાજી બનાવેલી રોટલી આપવામાં આવે. આમ થવાથી યમિર્યા રાજમહેલની જેલમાં રહ્યો.
ચર્મિયા 52:34
અને તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેના નિભાવ માટે કાયમી ભથ્થું બાંધી આપ્યું. જે તેને મૃત્યુ સુધી નિયમિત રીતે તેને આપવામાં આવ્યું.
માથ્થી 6:33
પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે.
યોહાન 2:8
પછી ઈસુએ નોકરોને કહ્યું, “હવે થોડું પાણી બહાર કાઢો. જમણના કારભારી પાસે લઈ જાઓ.”તેથી નોકરો કારભારીની પાસે પાણી લાવ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 14:15
“સજ્જનો, તમે આ બધું શા માટે કરો છો? અમે દેવો નથી! અમારે પણ તમારા જેવી લાગણીઓ છે. અમે તમને સુવાર્તા કહેવા આવ્યા છે. અમે તમને આ નિરર્થક વસ્તુઓ તરફથી પાછા ફરવાનું કહીએ છીએ. ઉત્પન્ન કરનાર જીવતા દેવ તરફ ફરો. તેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓના માં રહેલી પ્રત્યેક વસ્તુઓનું સર્જન કર્યુ છે.
નીતિવચનો 23:5
તે (ધન) આંખના પલકારામાં ઊડી જશે. પૈસો પોતાના માટે પાંખો ઉગાડશે. આકાશમાં ઊડતાં ગરૂડની જેમ તે ઉડી જાય છે.
નીતિવચનો 22:8
જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેમાં ક્રોધની સોટી તેનો અંત લાવશે.
ઊત્પત્તિ 28:20
પછી યાકૂબે એક પ્રતિજ્ઞા કરી. તેણે કહ્યું, “જો દેવ માંરી સાથે રહેશે, અને હું પ્રવાસમાં જયાં જયાં જાઉં ત્યાં દેવ માંરી રક્ષા કરશે અને મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્રો આપશે.
ઊત્પત્તિ 48:15
પછી તેણે યૂસફને આશીર્વાદ આપતાં કહ્યું,“જે દેવની સાક્ષીએ માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાક ચાલતા હતા, જે દેવે મને સમગ્ર જીવનપર્યત સંભાળ્યો.
નિર્ગમન 16:15
ઇસ્રાએલના લોકો આ જોઈ પરસ્પર એક બીજાને પૂછવા લાગ્યા, “આ શું છે?” કારણ કે એમને ખબર ન હતી કે એ શું છે. ત્યારે તેઓને મૂસાએ કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માંટે આપેલો ખોરાક છે.”
નિર્ગમન 16:18
અને પછી તેઓએ ઓમેરથી માંપિયાથી માંપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેનું વધ્યું નહિ કે જેણે ઓછું ભેગું કર્યુ હતું તેનું ઘટયું નહિ. પ્રત્યેક માંણસે પોતાના ખાવા પૂરતું જ એકઠું કર્યુ હતું.
નિર્ગમન 16:21
રોજ સવારે પ્રત્યેક જણ પોતાનાથી ખવાય તેટલો ખોરાક ભેગો કરતાં, અને સૂર્ય તપતો ત્યારે જે વધતું હોય તે બધું ઓગળી જતું.
નિર્ગમન 16:29
જુઓ, યહોવાએ તમાંરા માંટે વિશ્રામવાર આપ્યો છે, તેથી છઠ્ઠે દિવસે તે તમને બે દિવસ માંટે ચાલે તેટલુ અન્ન આપશે, તેથી સાતમે દિવસે પ્રત્યેક જણે પોતપોતાના ઘરમાં રહેવું અને કોઈએ બહાર નીકળવું નહિ.”
નિર્ગમન 16:35
પછી ઇસ્રાએલના લોકોએ 40 વર્ષ પર્યંત વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં તેઓ આવ્યા ત્યાં સુધી-માંન્ના ખાધું. તેઓ કનાન દેશની સરદહમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માંન્ના ખાધું.
2 રાજઓ 25:30
અને જ્યાં સુધી તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેને ભાણું અને આધાર આપ્યો.
અયૂબ 23:12
તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું. હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું.
ગીતશાસ્ત્ર 119:37
વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; અને તમારા માગેર્ જીવન જીવવા માટે મને મદદ કરો.
નીતિવચનો 21:6
જે છેતરપીંડીથી સંપત્તિ મેળવે છે તે ઊડી જતી વરાળ જેવું અને મૃત્યુને આમંત્રવા જેવું છે.
યશાયા 59:4
અદાલતમાં સાચી ફરિયાદ કરવાં કોઇ જતું નથી. સૌ પોકળ દલીલો પર આશા બાંધે છે, ને સૌ કોઇ જૂઠાણું ચલાવે છે. દુષ્ટ મનસૂબા ઘડે છે અને અધર્મ આચરે છે.