Micah 6:3
યહોવા કહે છે, “હે મારી પ્રજા, મેં તમને શું કર્યુ છે? તમને કઇ રીતે દુ;ખ આપ્યું છે? એનો મને જવાબ આપો.
Micah 6:3 in Other Translations
King James Version (KJV)
O my people, what have I done unto thee? and wherein have I wearied thee? testify against me.
American Standard Version (ASV)
O my people, what have I done unto thee? and wherein have I wearied thee? testify against me.
Bible in Basic English (BBE)
O my people, what have I done to you? how have I been a weariness to you? give answer against me.
Darby English Bible (DBY)
O my people, what have I done unto thee? and wherein have I wearied thee? testify against me.
World English Bible (WEB)
My people, what have I done to you? How have I burdened you? Answer me!
Young's Literal Translation (YLT)
O My people, what have I done to thee? And what -- have I wearied thee? Testify against Me.
| O my people, | עַמִּ֛י | ʿammî | ah-MEE |
| what | מֶה | me | meh |
| have I done | עָשִׂ֥יתִי | ʿāśîtî | ah-SEE-tee |
| wherein and thee? unto | לְךָ֖ | lĕkā | leh-HA |
| have I wearied | וּמָ֣ה | ûmâ | oo-MA |
| thee? testify | הֶלְאֵתִ֑יךָ | helʾētîkā | hel-ay-TEE-ha |
| against me. | עֲנֵ֥ה | ʿănē | uh-NAY |
| בִֽי׃ | bî | vee |
Cross Reference
ચર્મિયા 2:5
યહોવા કહે છે, “તમારા પિતૃઓને મારામાં શો દોષ દેખાયો કે તેઓ મને છોડીને દૂર ચાલ્યા ગયા? તેઓ વિસાત વગરની મૂર્તિઓને ભજવા લાગ્યા અને પોતે વિસાત વગરના થઇ ગયા.
યશાયા 43:22
યહોવા કહે છે, “હે ઇસ્રાએલીઓ, તમે મને વિનંતી કરતાં નથી, તમે તો મારાથી કંટાળી ગયા છો!
ગીતશાસ્ત્ર 81:13
મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે, ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માગોર્ પર ચાલે તો કેવું સારું!
ચર્મિયા 2:31
હે મારા લોકો, તમે તે કેવા છો? મારી વાત ધ્યાનથી સાંભળો! “શું હું તમારા માટે વેરાન વગડા જેવો કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો! મારા લોકો શા માટે કહે છે કે ‘અમે સ્વતંત્ર થયા છીએ; હવે અમે તેમની સાથે કોઇ સંબંધ રાખવા માંગતા નથી?’
ગીતશાસ્ત્ર 50:7
હે મારા લોકો, હું કહું તે સાંભળો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.
રોમનોને પત્ર 3:19
જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે.
રોમનોને પત્ર 3:4
ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:“તારા વચનો સત્ય સાબિત થશે, અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.” ગીતશાસ્ત્ર 51:4
મીખાહ 6:5
હે મારા લોકો, યાદ રાખજો કે મોઆબના રાજા બાલાકે કેવી રીતે અનિષ્ટ યોજના કરી હતી, અને બયોરના પુત્ર બલામે તેનો કેવી રીતે ઉત્તર આપ્યો હતો? યાદ રાખજો કે શિટ્ટીમથી ગિલ્ગાલને શું બન્યું હતું, જેથી તમે યહોવાના ન્યાયી કાર્યોને સમજી શકશો.”
ગીતશાસ્ત્ર 81:8
“હે મારા લોકો, સાંભળો; હે ઇસ્રાએલ માત્ર મારું સાંભળો; હું તમને” કડક ચેતવણી આપું છું.
ગીતશાસ્ત્ર 51:4
મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે, હા તમારી વિરુદ્ધ; જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે. તેથી તમે તમારા નિર્ણયો અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.