Jeremiah 49:11
એમ કહેનાર કોઇ નહિ હોય કે, “તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા, હું તેમને સંભાળીશ. તારી વિધવાઓ મારે વિશ્વાસે રહી શકે છે.”
Jeremiah 49:11 in Other Translations
King James Version (KJV)
Leave thy fatherless children, I will preserve them alive; and let thy widows trust in me.
American Standard Version (ASV)
Leave thy fatherless children, I will preserve them alive; and let thy widows trust in me.
Bible in Basic English (BBE)
Put in my care your children who have no father, and I will keep them safe; and let your widows put their faith in me.
Darby English Bible (DBY)
Leave thine orphans, I will preserve them alive; and let thy widows trust in me.
World English Bible (WEB)
Leave your fatherless children, I will preserve them alive; and let your widows trust in me.
Young's Literal Translation (YLT)
Leave thine orphans -- I do keep alive, And thy widows -- on Me trust ye,
| Leave | עָזְבָ֥ה | ʿozbâ | oze-VA |
| thy fatherless children, | יְתֹמֶ֖יךָ | yĕtōmêkā | yeh-toh-MAY-ha |
| I | אֲנִ֣י | ʾănî | uh-NEE |
| alive; them preserve will | אֲחַיֶּ֑ה | ʾăḥayye | uh-ha-YEH |
| and let thy widows | וְאַלְמְנוֹתֶ֖יךָ | wĕʾalmĕnôtêkā | veh-al-meh-noh-TAY-ha |
| trust | עָלַ֥י | ʿālay | ah-LAI |
| in | תִּבְטָֽחוּ׃ | tibṭāḥû | teev-ta-HOO |
Cross Reference
ગીતશાસ્ત્ર 68:5
આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
હોશિયા 14:3
આશ્શૂર અમને બચાવી શકશે નહિ; હવે અમે કદી યુદ્ધના ઘોડાને ભરોસે રહીશું નહિ, અને હવે અમે કદી હાથે ઘડેલી મૂર્તિને અમારો દેવ કહીશું નહિ’ તમે જ અનાથના નાથ છો.
યાકૂબનો 1:27
દેવની દ્દષ્ટિમાં ધાર્મિક એ છે કે જે અનાથ અને વિધવાઓની તેમના દુ:ખના સમયે મુલાકાત લે છે તથા જગતની દુષ્ટતાથી દૂર રહી પોતાની જાતને નિષ્કલંક રાખી, દેવની ઈચ્છાને આધીન રહે છે.
1 તિમોથીને 5:5
જો કોઈ વિધવા ખરેખર નિરાધાર હોય તો તેની સંભાળ માટે તે દેવની જ આશા રાખે છે. તે સ્ત્રી રાત-દિવસ હમેશા પ્રાર્થના કરતી હોય છે. તે દેવ પાસે મદદ માગે છે.
માલાખી 3:5
સૈન્યોનો દેવ યહોવા કહે છે,”ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.
યૂના 4:11
તો પછી શા માટે મારે નિનવેહના મહાન શહેર માટે દિલગીર ન થવું જેમાં 1,20,000 લોકો છે જેઓને ખરાખોટાની ખબર નથી અને જ્યાં ઘણા પશુઓ છે.”
નીતિવચનો 23:10
અસલની હદના પથ્થરો ખસેડીશ નહિં, અને અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
ગીતશાસ્ત્ર 146:9
યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે; અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે; પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
ગીતશાસ્ત્ર 82:3
“તમે અબળ અને અનાથને ન્યાય કરો, દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.
ગીતશાસ્ત્ર 10:14
હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો. તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે, તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે. તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો, હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
પુનર્નિયમ 10:18
તે વિધવાઓને તથા અનાથોને ન્યાય આપે છે, પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.