Hebrews 11:3
વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના દેવની આજ્ઞા પ્રમાણે થઈ છે એનો અર્થ એ થયો કે આપણે જે કાંઇ જાણીએ છીએ તે કોઈ અદશ્ય શક્તિ દ્ધારા બનાવવામાં આવેલું છે.
Hebrews 11:3 in Other Translations
King James Version (KJV)
Through faith we understand that the worlds were framed by the word of God, so that things which are seen were not made of things which do appear.
American Standard Version (ASV)
By faith we understand that the worlds have been framed by the word of God, so that what is seen hath not been made out of things which appear.
Bible in Basic English (BBE)
By faith it is clear to us that the order of events was fixed by the word of God, so that what is seen has not been made from things which only seem to be.
Darby English Bible (DBY)
By faith we apprehend that the worlds were framed by [the] word of God, so that that which is seen should not take its origin from things which appear.
World English Bible (WEB)
By faith, we understand that the universe has been framed by the word of God, so that what is seen has not been made out of things which are visible.
Young's Literal Translation (YLT)
by faith we understand the ages to have been prepared by a saying of God, in regard to the things seen not having come out of things appearing;
| Through faith | Πίστει | pistei | PEE-stee |
| we understand | νοοῦμεν | nooumen | noh-OO-mane |
| were the that | κατηρτίσθαι | katērtisthai | ka-tare-TEE-sthay |
| worlds | τοὺς | tous | toos |
| framed | αἰῶνας | aiōnas | ay-OH-nahs |
| by the word | ῥήματι | rhēmati | RAY-ma-tee |
| of God, | θεοῦ | theou | thay-OO |
| that so | εἰς | eis | ees |
| τὸ | to | toh | |
| things which are seen | μὴ | mē | may |
| were made | ἐκ | ek | ake |
| φαινομένων | phainomenōn | fay-noh-MAY-none | |
| not | τά | ta | ta |
| of | βλεπόμενα | blepomena | vlay-POH-may-na |
| things which do appear. | γεγονέναι | gegonenai | gay-goh-NAY-nay |
Cross Reference
રોમનોને પત્ર 4:17
શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે; “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.”દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે.
પ્રકટીકરણ 4:11
“અમારા પ્રભુ અને દેવ! તું મહિમા, માન તથા સાર્મથ્ય પામવાને યોગ્ય છે. કારણ કે તેં સર્વને ઉત્પન્ન કર્યા, અને તારી ઈચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.”
2 પિતરનો પત્ર 3:5
પરંતુ ઘણા લાબાં સમય પહેલા જે બન્યું હતું તેને તે લોકો યાદ રાખવા માગતા નથી. આકાશ ત્યાં હતું, અને દેવે પાણી વડે પાણીમાંથી પૃથ્વીનું સર્જન કર્યુ. આ બધું જ દેવના વચન દ્વારા બન્યું.
યોહાન 1:3
તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી.
ગીતશાસ્ત્ર 33:6
એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું, અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
હિબ્રૂઓને પત્ર 1:2
અને હવે આ છેલ્લા દિવસોમાં દેવ જે કઈ બોલ્યો તે તેના પુત્ર દ્ધારા આપણી સાથે બોલ્યો છે. દેવે આખી દુનિયા તેના પુત્ર દ્ધારા બનાવી અને તેમાંનું બધું જ દેવે પોતાના પુત્ર દ્ધારા ઉત્પન્ન કર્યું છે. અને પુત્રને સર્વસ્વમાં વારસ, અને માલિક ઠરાવ્યો છે.
રોમનોને પત્ર 1:19
દેવ પોતાનો કોપ વ્યક્ત કરે છે, કારણ કે તેના વિષે જે કંઈ જાણી શકાય તે બધુંજ તેઓ જાણે છે. કેમ કે દેવે જ તે તેમની આગળ પ્રગટ કર્યુ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 17:24
“તે એ દેવ છે જેણે આખી દુનિયા અને તેમાંની દરેક વસ્તુઓ બનાવી. તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ છે તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 14:15
“સજ્જનો, તમે આ બધું શા માટે કરો છો? અમે દેવો નથી! અમારે પણ તમારા જેવી લાગણીઓ છે. અમે તમને સુવાર્તા કહેવા આવ્યા છે. અમે તમને આ નિરર્થક વસ્તુઓ તરફથી પાછા ફરવાનું કહીએ છીએ. ઉત્પન્ન કરનાર જીવતા દેવ તરફ ફરો. તેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓના માં રહેલી પ્રત્યેક વસ્તુઓનું સર્જન કર્યુ છે.
યશાયા 40:26
આકાશ તરફ ષ્ટિ કરો અને વિચારો કે એ બધાં ગ્રહ નક્ષત્રોને કોણે ર્સજ્યા છે? જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઇ આવે છે અને એ બધાંને નામ દઇને બોલાવે છે તેનું સાર્મથ્ય એટલું પ્રચંડ છે, તેની શકિત એટલી પ્રબળ છે કે તેમાંનું કોઇ પણ હાજર થયા વગર રહેતું નથી.”
ઊત્પત્તિ 1:1
આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.
ચર્મિયા 10:16
પણ યાકૂબનો દેવ એવો નથી; તે તો આખી સૃષ્ટિનો સર્જનહાર છે, અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે. તેનું નામ “સૈન્યોનો દેવ યહોવા છે.”
ચર્મિયા 10:11
યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે આ પ્રમાણે કહેજો: “જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું નથી, તેવા તમારા દેવો આકાશ તળેથી તથા પૃથ્વી પરથી નાશ પામશે.”