Hebrews 10:10 in Gujarati

Gujarati Gujarati Bible Hebrews Hebrews 10 Hebrews 10:10

Hebrews 10:10
દેવીની ઈચ્છા મુજબ ઈસુ ખ્રિસ્તનાં કાર્યો પ્રમાણે એક જ વાર ખ્રિસ્તનું શરીર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.

Hebrews 10:9Hebrews 10Hebrews 10:11

Hebrews 10:10 in Other Translations

King James Version (KJV)
By the which will we are sanctified through the offering of the body of Jesus Christ once for all.

American Standard Version (ASV)
By which will we have been sanctified through the offering of the body of Jesus Christ once for all.

Bible in Basic English (BBE)
By that pleasure we have been made holy, by the offering of the body of Jesus Christ once and for ever.

Darby English Bible (DBY)
by which will we have been sanctified through the offering of the body of Jesus Christ once for all.

World English Bible (WEB)
by which will we have been sanctified through the offering of the body of Jesus Christ once for all.

Young's Literal Translation (YLT)
in the which will we are having been sanctified through the offering of the body of Jesus Christ once,

By
ἐνenane
the
which
oh
will
θελήματιthelēmatithay-LAY-ma-tee
are
we
ἡγιασμένοιhēgiasmenoiay-gee-ah-SMAY-noo
sanctified
ἐσμὲνesmenay-SMANE

οἱhoioo
through
διὰdiathee-AH
the
τῆςtēstase
offering
προσφορᾶςprosphorasprose-foh-RAHS
of
the
τοῦtoutoo
body
of
σώματοςsōmatosSOH-ma-tose

τοῦtoutoo
Jesus
Ἰησοῦiēsouee-ay-SOO
Christ
Χριστοῦchristouhree-STOO
once
ἐφάπαξephapaxay-FA-pahks

Cross Reference

હિબ્રૂઓને પત્ર 13:12
આ કારણને લીધે અને તેના લોકોને તેની પોતાના લોહી સાથે પવિત્ર બનાવવાના હેતુથી ઈસુ દુ:ખ ભોગવીને શહેરની બહાર મરણ પામ્યો.

હિબ્રૂઓને પત્ર 10:14
જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને ખ્રિસ્તે પોતાના એક જ બલિદાનથી બધા જ સમય માટે પરિપૂર્ણ કર્યા.

હિબ્રૂઓને પત્ર 7:27
તે બીજા પ્રમુખયાજકો જેવો ન હતો. તેને પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન અર્પણ કરવાની અગત્ય રહેતી નથી. કારણ કે તેણે આ બધા માટે આ કામ એક જ વખત કર્યુ. જ્યારે તેણે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું.

હિબ્રૂઓને પત્ર 10:12
પણ આપણાં પાપોને માટે ખ્રિસ્તે એક જ વાર બલિદાન આપ્યું અને ખ્રિસ્ત દેવની જમણી બાજુએ બિરાજ્યો.

હિબ્રૂઓને પત્ર 9:28
તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોના પાપ પોતાને માથે લેવા એક જ વખતે બલિદાન આપ્યું અને હવે તે લોકોના પાપ માટે નહિ પરંતુ જેઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા ખ્રિસ્ત બીજી વખત આવનાર છે.

હિબ્રૂઓને પત્ર 9:12
હંમેશને માટે એક જ વાર રક્ત લઈને ખ્રિસ્ત પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યો. બકરાના તથા વાછરડાના રક્ત વડે નહિ, પરંતુ પોતાના જ રક્ત વડે આપણે માટે સર્વકાલિન આપણા ઉદ્ધારની પ્રાપ્તિ માટે તે પ્રવેશ્યો.

હિબ્રૂઓને પત્ર 2:14
તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે.

હિબ્રૂઓને પત્ર 2:11
જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી.

યોહાન 17:19
હું મારી જાતને સેવા માટે તૈયાર કરું છું. હું તેઓના માટે આ કરું છું. જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે.”

1 પિતરનો પત્ર 2:24
વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં.

હિબ્રૂઓને પત્ર 10:5
આથી જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું:“હે દેવ પશુઓનુ રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી. પણ તેં મારા માટે શરીર બનાવ્યું છે.

હિબ્રૂઓને પત્ર 9:26
જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત. પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું.

1 કરિંથીઓને 6:11
ભૂતકાળમાં, તમારામાંના કેટલાએક આવા હતા. પરંતુ તમારું શુદ્ધિકરણ કરવામાં આવ્યું, અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અને દેવના આત્મા દ્વારા દેવ સાથે ન્યાયી બનાવવામાં આવ્યા.

1 કરિંથીઓને 1:30
દેવ એક જ છે જે આપણને ખ્રિસ્ત ઈસુના અંશરૂપ બનાવે છે. દેવ તરફથી ખ્રિસ્ત આપણું શાણપણ બન્યો છે. ખ્રિસ્તના કારણે આપણે દેવે પ્રત્યે ન્યાયી છીએ. ખ્રિસ્તના કારણે પાપમાંથી મુક્તિ મળી છે. ખ્રિસ્તના કારણે જ આપણે પવિત્ર છીએ.

ઝખાર્યા 13:1
તે સમય દરમ્યાન ઇસ્રાએલ અને યરૂશાલેમ માટે એક ઝરણું વહેવડાવામાં આવશે કે જે તેઓના પાપો અને અશુદ્ધતા ધોઇ નાખશે.

1 યોહાનનો પત્ર 5:6
જે આવ્યો તે ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ પાણી 45 સાથે અને રક્ત 46 સાથે આવ્યો. ઈસુ માત્ર પાણીથી આવ્યો નથી. ના, ઈસુ પાણી અને રક્ત બંનેથી આવ્યો અને આત્મા આપણને કહે છે કે આ સાચુ છે. આત્મા સત્ય છે.

હિબ્રૂઓને પત્ર 10:20
ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું.

યોહાન 19:34
પણ સૈનિકોમાંના એકે ઈસુની કૂખમાં તેનો ભાલો ભોંકી દીધો. તેથી લોહી અને પાણી બહાર નીકળ્યા.