Jeremiah 23:12
તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઇ ગયા છે. અંધકારમય જોખમી માર્ગ પર તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે. કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું. જ્યારે તેઓનો સમય આવશે ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે.
Jeremiah 23:12 in Other Translations
King James Version (KJV)
Wherefore their way shall be unto them as slippery ways in the darkness: they shall be driven on, and fall therein: for I will bring evil upon them, even the year of their visitation, saith the LORD.
American Standard Version (ASV)
Wherefore their way shall be unto them as slippery places in the darkness: they shall be driven on, and fall therein; for I will bring evil upon them, even the year of their visitation, saith Jehovah.
Bible in Basic English (BBE)
For this cause their steps will be slipping on their way: they will be forced on into the dark and have a fall there: for I will send evil on them in the year of their punishment, says the Lord.
Darby English Bible (DBY)
Therefore their way shall be unto them as slippery places in the darkness; they shall be driven on, and fall therein: for I will bring evil upon them in the year of their visitation, saith Jehovah.
World English Bible (WEB)
Therefore their way shall be to them as slippery places in the darkness: they shall be driven on, and fall therein; for I will bring evil on them, even the year of their visitation, says Yahweh.
Young's Literal Translation (YLT)
Therefore is their way to them as slippery places, Into thick darkness they are driven, And they have fallen in it, For I bring in against them evil, The year of their inspection, An affirmation of Jehovah.
| Wherefore | לָכֵן֩ | lākēn | la-HANE |
| their way | יִֽהְיֶ֨ה | yihĕye | yee-heh-YEH |
| shall be | דַרְכָּ֜ם | darkām | dahr-KAHM |
| slippery as them unto | לָהֶ֗ם | lāhem | la-HEM |
| darkness: the in ways | כַּחֲלַקְלַקּוֹת֙ | kaḥălaqlaqqôt | ka-huh-lahk-la-KOTE |
| they shall be driven on, | בָּֽאֲפֵלָ֔ה | bāʾăpēlâ | ba-uh-fay-LA |
| fall and | יִדַּ֖חוּ | yiddaḥû | yee-DA-hoo |
| therein: for | וְנָ֣פְלוּ | wĕnāpĕlû | veh-NA-feh-loo |
| bring will I | בָ֑הּ | bāh | va |
| evil | כִּֽי | kî | kee |
| upon | אָבִ֨יא | ʾābîʾ | ah-VEE |
| year the even them, | עֲלֵיהֶ֥ם | ʿălêhem | uh-lay-HEM |
| of their visitation, | רָעָ֛ה | rāʿâ | ra-AH |
| saith | שְׁנַ֥ת | šĕnat | sheh-NAHT |
| the Lord. | פְּקֻדָּתָ֖ם | pĕquddātām | peh-koo-da-TAHM |
| נְאֻם | nĕʾum | neh-OOM | |
| יְהוָֽה׃ | yĕhwâ | yeh-VA |
Cross Reference
ચર્મિયા 13:16
અંધારું થાય તે પહેલાં અને સંધ્યાં સમયે પર્વત પરના પ્રવાસીની જેમ તમે ગબડી પડો તે પહેલાં તમારાં દેવ યહોવાને સન્માન આપો, અને તે અને તમે જે પ્રકાશની આશા રાખો છો તેને ધૂંધળા પડછાયા અને ગાઢ અંધકારમાં ફેરવી નાખે છે.
ચર્મિયા 11:23
પરંતુ જ્યારે અનાથોથના લોકોને શિક્ષા કરવાનો સમય આવશે, ત્યારે હું તેમના પર આફત ઉતારીશ અને એક પણ વ્યકિત જીવતો રહેવા નહિ પામે.”
ગીતશાસ્ત્ર 35:6
હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ; યહોવાનો દૂત તેમની પાછળ પડો.
નીતિવચનો 4:19
જ્યારે દુષ્ટોનો માર્ગ અંધકારમય છે, જેમાં પોતે શા માટે ઠોકર ખાધી છે તે પણ તેઓ જાણી શકતા નથી.
યોહાન 12:35
પછી ઈસુએ કહ્યું, “ફક્ત થોડા વધુ સમય માટે તમારી સાથે પ્રકાશ રહેશે. જ્યાં સુધી તમારી સાથે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, તો પછી અંધકાર (પાપ) તમને પકડશે નહિ. જે વ્યક્તિ અંધકારમાં ચાલે છે તે જાણતી નથી કે તે ક્યાં જાય છે.
યશાયા 8:22
અને નીચે પૃથ્વી પર નજર કરશે તો, અલબત્ત દરેક જગાએ તેઓને દુ:ખ, અભેદ્ય અંધકાર અને વેદના જ મળશે. તેમને અંધકારમાં ધકેલી દેવામાં આવશે.
ગીતશાસ્ત્ર 73:18
તમે તેઓને લપસણી જગાએ મૂકો છો, અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.
યહૂદાનો પત્ર 1:13
તેઓ સમુદ્રમાં આવતાં જંગલી મોજા જેવા છે મોજાઓ ફીણ બનાવે છે. આ લોકો, મોજાંઓ જેમ ફીણ બનાવે છે તેમ આ લોકો શરમજનક કાર્યો કરે છે. આ લોકો તારાઓ જેવા છે જે ભટકનારા છે. આવા લોકો માટે ઘોર અંધકાર સર્વકાળ માટે રાખવામાં આવેલો છે.
1 યોહાનનો પત્ર 2:11
પરંતુ જે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે તે અધંકારમાં છે. તે અધંકારમાં જીવે છે. તે વ્યક્તિ જાણતો નથી કે તે ક્યાં જાય છે. શા માટે? કારણ કે અંધકારે તેને આધળો બનાવી દીધો છે.
મીખાહ 7:4
તેઓમાં જે શ્રેષ્ઠ છે તેઓ કાંટા ઝાંખરા જેવા છે; સૌથી વધારે પ્રામાણિક ગણાય છે તેઓ ઝાંખરામાંથી બનાવેલી વાડ જેવા છે,પણ હવે તમારો ચોકીદારોનો દિવસ સત્વરે આવે છે. તમારી શિક્ષાનો સમય લગભગ આવી ગયો છે; ગૂંચવણ, વિનાશ અને ગભરાટનો તમે અનુભવ કરશો.
ચર્મિયા 50:27
તેના સર્વ ઢોરઢાંખરને પણ મારી નાખો, તેઓની હત્યા થવા માટે નીચે ઊતરી જવા દો! એમના દિવસો ભરાઇ ચૂક્યા છે! તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો છે.
ચર્મિયા 48:44
જે કોઇ માણસ ભયનો માર્યો ભાગી જશે તે ખાડામાં પડશે, જે ખાડામાંથી ઊભો થઇને બહાર આવશે તે પકડાઇ જશે, મોઆબને સજા કરવાનો સમય આવશે ત્યારે તેણે આ બધાંનો સામનો કરવો પડશે.” આ યહોવાના વચન છે.
અયૂબ 18:18
પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.
નિર્ગમન 32:34
પણ હવે તું જા, અને મેં તને કહ્યું છે તે જગ્યાએ આ લોકોને દોરી જા. માંરો દેવદૂત તમાંરી આગળ આગળ ચાલશે, પણ એક દિવસ એવો આવશે જ્યારે હું તેમને તેમના પાપની સજા કરીશ.”