નીતિવચનો 22:9 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 22 નીતિવચનો 22:9

Proverbs 22:9
ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

Proverbs 22:8Proverbs 22Proverbs 22:10

Proverbs 22:9 in Other Translations

King James Version (KJV)
He that hath a bountiful eye shall be blessed; for he giveth of his bread to the poor.

American Standard Version (ASV)
He that hath a bountiful eye shall be blessed; For he giveth of his bread to the poor.

Bible in Basic English (BBE)
He who is kind will have a blessing, for he gives of his bread to the poor.

Darby English Bible (DBY)
He that hath a bountiful eye shall be blessed, for he giveth of his bread to the poor.

World English Bible (WEB)
He who has a generous eye will be blessed; For he shares his food with the poor.

Young's Literal Translation (YLT)
The good of eye -- he is blessed, For he hath given of his bread to the poor.

He
טֽוֹבṭôbtove
that
hath
a
bountiful
עַ֭יִןʿayinAH-yeen
eye
ה֣וּאhûʾhoo
shall
be
blessed;
יְבֹרָ֑ךְyĕbōrākyeh-voh-RAHK
for
כִּֽיkee
he
giveth
נָתַ֖ןnātanna-TAHN
of
his
bread
מִלַּחְמ֣וֹmillaḥmômee-lahk-MOH
to
the
poor.
לַדָּֽל׃laddālla-DAHL

Cross Reference

નીતિવચનો 19:17
ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે. યહોવા એ સુકૃત્યનો બદલો આપશે.

હિબ્રૂઓને પત્ર 13:16
બીજાના માટે ભલું કરવાનંુ ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે.

લૂક 6:35
“તેથી તમારા વૈરીઓને પણ પ્રીતિ કરો. તેઓનું ભલું કરો. અને કંઈ પણ પાછું મેળવવાની આશા વિના તમે ઉછીનું આપો. જો તમે આમ કરશો તો તમને તેનો બદલો મળશે. અને તમે પરાત્પરના દીકરાઓ થશો. હા કારણ કે દેવ, અનુપકારીઓ તથા દુષ્ટ લોકો પર પણ માયાળું છે.

લૂક 14:13
તેને બદલે જ્યારે તું મિજબાની આપે ત્યારે કૂબડા લોકોને, અપંગોને અને આંધળાઓને નિમંત્રણ આપ.

પ્રેરિતોનાં ક્રત્યો 20:35
મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.”‘

2 કરિંથીઓને 8:1
અને હવે, મારા ભાઈઓ અને બહેનો, મકદોનિયાની મંડળીઓ પર દેવની જે કૃપા છે તે વિષે અમે તમને જણાવવા ઈચ્છીએ છીએ.

2 કરિંથીઓને 9:6
આટલું યાદ રાખજો-જે વ્યક્તિ અલ્પ વાવે છે તે અલ્પ લણે છે. પરંતુ જે વ્યક્તિ અધિક વાવે છે તે અધિક લણે છે.

1 તિમોથીને 6:18
તું પૈસાદાર લોકોને સારાં કાર્યો કરવાનું કહે. સારાં કાર્યો કરીને સમૃદ્ધ થાય. તેઓ ભલું કરે. ઉત્તમ કાર્યો રુંપી સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને ઉદાર તથા પરોપકારી થાય.

હિબ્રૂઓને પત્ર 6:10
પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ.

1 પિતરનો પત્ર 4:9
કોઇ પણ જાતની ફરીયાદ વગર એકબીજાને પરોણા રાખો.

માર્ક 7:22
વ્યભિચાર, સ્વાર્થ, લોકોનું ખરાબ કરવું, વ્યર્થ જીવન, પાપનાં કામો કરવા, અદેખાઇ, લોકોની નિંદા કરવી, મિથ્યા દંભ કરવો અને મૂર્ખાઈભર્યું જીવન.

માથ્થી 25:34
“પછી તે રાજા, જમણી બાજુ બેસનારા સારા માણસોને કહેશે, આવો, મારા બાપના આશીર્વાદિતો આવો, અને જે રાજ્ય જગતનો પાયો નાખતા પહેલા તમારા માટે અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યુ છે તે પ્રાપ્ત કરો.

માથ્થી 20:15
મારે મારા પૈસાનું જે કરવું હોય તે કરું. તમને અદેખાઈ આવે છે કારણ કે એ લોકો સાથે હું સારો છું.’

પુનર્નિયમ 28:56
“તમાંરામાંની અતિ કોમળ, અને નમ્ર સ્ત્રી, કે જેણે ધરતી પર પગ મૂક્યો નથી, તે પણ પોતાના પતિ જેને તે પ્રેમ કરે છે અને તેના પુત્ર અને પુત્રી સાથે ક્રૂર બનશે.

અયૂબ 31:16
મેં ગરીબોને કશું આપ્યું ન હોય તેવું કદી બન્યું નથી અને વિધવાઓને મેં કદી રડાવી નથી.

ગીતશાસ્ત્ર 41:1
જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે; સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.

ગીતશાસ્ત્ર 112:9
તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે, અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.

નીતિવચનો 11:25
જે બીજાને આશીર્વાદ આપે છે તે સમૃદ્ધ થાય છે.

નીતિવચનો 21:13
જે કોઇ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે તેનો પોકાર પણ કોઇ સાંભળશે નહિ.

સભાશિક્ષક 11:1
તારી રોટલી પાણી પર નાખ, કારણ કે ઘણા દિવસો પછી તે તને પાછી મળશે.

યશાયા 32:8
છતાં ઉદાર માણસો ઉદારતા રાખવાનું ચાલુ રાખશે.

યશાયા 58:7
તમારે ભૂખ્યા સાથે વહેંચીને ખાવું, ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો, ઉઘાડાને જોતાં તેને વસ્ત્ર પહેરાવવાં. અને માનવબંધુઓને ભીડમાં જોઇને આંખ આડા કાન કરવાં નહિ.”

પુનર્નિયમ 15:7
“પરંતુ તમાંરા દેવ યહોવા તમને જે પ્રદેશ આપે છે, તેના કોઈ પણ ગામમાં તમાંરો કોઈ જાતિભાઈ આથિર્ક મુશ્કેલીમાં આવી પડે, તો કઠોર હૃદયના ના બનશો. કે મદદનાં હાથને રોકશો નહિ.