John 3:25
યોહાનના શિષ્યોમાંથી કેટલાએકનો બીજા એક યહૂદિ સાથે વાદવિવાદ થયો. તેઓ ધાર્મિક શુદ્ધિકરણ માટે દલીલો કરતા હતા.
John 3:25 in Other Translations
King James Version (KJV)
Then there arose a question between some of John's disciples and the Jews about purifying.
American Standard Version (ASV)
There arose therefore a questioning on the part of John's disciples with a Jew about purifying.
Bible in Basic English (BBE)
Then a question came up between John's disciples and a Jew about washing.
Darby English Bible (DBY)
There was therefore a reasoning of the disciples of John with a Jew about purification.
World English Bible (WEB)
There arose therefore a questioning on the part of John's disciples with some Jews about purification.
Young's Literal Translation (YLT)
there arose then a question from the disciples of John with `some' Jews about purifying,
| Then | Ἐγένετο | egeneto | ay-GAY-nay-toh |
| there arose | οὖν | oun | oon |
| a question | ζήτησις | zētēsis | ZAY-tay-sees |
| between and | ἐκ | ek | ake |
| some of | τῶν | tōn | tone |
| John's | μαθητῶν | mathētōn | ma-thay-TONE |
| Ἰωάννου | iōannou | ee-oh-AN-noo | |
| disciples | μετὰ | meta | may-TA |
| the Jews | Ἰουδαίων | ioudaiōn | ee-oo-THAY-one |
| about | περὶ | peri | pay-REE |
| purifying. | καθαρισμοῦ | katharismou | ka-tha-ree-SMOO |
Cross Reference
યોહાન 2:6
તે જગ્યાએ છ મોટા પથ્થરનાં પાણીનાં કુંડાં હતાં. તે યહૂદિઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે આના જેવા પાણીનાં કુંડાંનો ઉપયોગ કરતા. પ્રત્યેક પાણીનાં કુંડાંમાં લગભગ 20 થી 30 ગેલન પાણી સમાતું.
હિબ્રૂઓને પત્ર 9:13
જે લોકો પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવા માટે શુદ્ધ ન હતા તેઓ પર બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડાંની રાખ છાંટીને તેઓના ફક્ત શરીરને શુદ્ધ કર્યા.
માથ્થી 3:11
“તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે, તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી. તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે.
માર્ક 7:2
ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના કેટલાએક શિષ્યોને ગંદા હાથો વડે ખાતાં જોયા. (‘ચોખ્ખા નહિ’ નો અર્થ: ફરોશીઓ લોકોને આગ્રહ કરતા કે જે અમુક રીતે તેમના હાથ થોવા જોઈએ તે રીતે ધોયા ન હતા.)
માર્ક 7:8
તમે દેવની આજ્ઞાને અનુસરવાનું બંધ કર્યુ છે. હવે તમે માણસોના ઉપદેશો અનુસરો છો.’
હિબ્રૂઓને પત્ર 6:2
વળી બાપ્તિસ્માવિષે તે વખતે આપણને શીખવવામાં આવ્યું હતું. અને લોકો ઉપર હાથ મૂકવાથી અને મૃત્યુ પછી ફરી સજીવન થવું અને અનંતકાળના ન્યાયકરણ વિષે આપણને શીખવવામાં આવ્યું હતું, પણ આપણને વધુ ઉચ્ચ કક્ષાના શિક્ષણની જરુંર છે.
હિબ્રૂઓને પત્ર 9:10
આ રીવાજો ફક્ત, ભોજન, પાણી અને વિવિધ પ્રકારની સ્નાનક્રિયાનો શિષ્ટાચાર, બાહ્ય વિધિઓ હતી અને જ્યાં સુધી નવો માર્ગ આવે ત્યાં સુધી તેનું પાલન કરવાનો હેતુ હતો.
હિબ્રૂઓને પત્ર 9:23
આ બધી વસ્તુઓ આકાશમાં છે તે જ સાચી વસ્તુઓની નકલ હતી. અને તે બધાને પશુઓના રક્ત વડે શુદ્ધ કરવામાં આવતી હતી. પરંતુ આકાશની વસ્તુઓને વધારે સારા બલિદાન વડે શુદ્ધ કરવાની જરુંર હતી.
1 પિતરનો પત્ર 3:21
એ દષ્ટાત પ્રમાણે તે પાણી બાપ્તિસ્મા સમાન છે જે તમને અત્યારે બચાવે છે. બાપ્તિસ્મા એ શરીરનો મેલ દૂર કરવાની પ્રક્રિયા નથી. બાપ્તિસ્મા તો ઈશ્વર પાસે શુદ્ધ હ્રદય માટેની એક યાચના છે. તે તમને બચાવે છે કારણ કે ઈસુ ખ્રિસ્ત મૂએલામાંથી પુનરૂત્થાન પામ્યો હતો.