1 Kings 14:15
જેવી રીતે છોડની કુંમળી દાંડી નદીમાં ઝોલાં ખાય છે તેવી જ રીતે યહોવા ઇસ્રાએલ પર પ્રહાર કરશે. યહોવા ઇસ્રાએલીઓને તેણે તેના પિતૃઓને આપેલા દેશમાંથી જડમૂળથી ઉખેડી નાખશે. અને નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે, કારણ કે અશેરીમનો સ્તંભ બનાવી તેઓએ યહોવાને કોપાયમાંન કર્યા છે.
1 Kings 14:15 in Other Translations
King James Version (KJV)
For the LORD shall smite Israel, as a reed is shaken in the water, and he shall root up Israel out of this good land, which he gave to their fathers, and shall scatter them beyond the river, because they have made their groves, provoking the LORD to anger.
American Standard Version (ASV)
For Jehovah will smite Israel, as a reed is shaken in the water; and he will root up Israel out of this good land which he gave to their fathers, and will scatter them beyond the River, because they have made their Asherim, provoking Jehovah to anger.
Bible in Basic English (BBE)
And even now the hand of the Lord has come down on Israel, shaking it like a river-grass in the water; and, uprooting Israel from this good land, which he gave to their fathers, he will send them this way and that on the other side of the River; because they have made for themselves images, moving the Lord to wrath.
Darby English Bible (DBY)
And Jehovah will smite Israel, as a reed is shaken in the water, and he will root up Israel out of this good land which he gave to their fathers, and will scatter them beyond the river, because they have made their Asherahs, provoking Jehovah to anger.
Webster's Bible (WBT)
For the LORD will smite Israel, as a reed is shaken in the water, and he will root up Israel out of this good land, which he gave to their fathers, and will scatter them beyond the river, because they have made their groves, provoking the LORD to anger.
World English Bible (WEB)
For Yahweh will strike Israel, as a reed is shaken in the water; and he will root up Israel out of this good land which he gave to their fathers, and will scatter them beyond the River, because they have made their Asherim, provoking Yahweh to anger.
Young's Literal Translation (YLT)
And Jehovah hath smitten Israel as the reed is moved by the waters, and hath plucked Israel from off this good ground that He gave to their fathers, and scattered them beyond the River, because that they made their shrines, provoking Jehovah to anger;
| For the Lord | וְהִכָּ֨ה | wĕhikkâ | veh-hee-KA |
| shall smite | יְהוָ֜ה | yĕhwâ | yeh-VA |
| אֶת | ʾet | et | |
| Israel, | יִשְׂרָאֵ֗ל | yiśrāʾēl | yees-ra-ALE |
| as | כַּֽאֲשֶׁ֨ר | kaʾăšer | ka-uh-SHER |
| a reed | יָנ֣וּד | yānûd | ya-NOOD |
| is shaken | הַקָּנֶה֮ | haqqāneh | ha-ka-NEH |
| water, the in | בַּמַּיִם֒ | bammayim | ba-ma-YEEM |
| and he shall root up | וְנָתַ֣שׁ | wĕnātaš | veh-na-TAHSH |
| אֶת | ʾet | et | |
| Israel | יִשְׂרָאֵ֗ל | yiśrāʾēl | yees-ra-ALE |
| out of | מֵ֠עַל | mēʿal | MAY-al |
| this | הָֽאֲדָמָ֨ה | hāʾădāmâ | ha-uh-da-MA |
| good | הַטּוֹבָ֤ה | haṭṭôbâ | ha-toh-VA |
| land, | הַזֹּאת֙ | hazzōt | ha-ZOTE |
| which | אֲשֶׁ֤ר | ʾăšer | uh-SHER |
| he gave | נָתַן֙ | nātan | na-TAHN |
| to their fathers, | לַאֲב֣וֹתֵיהֶ֔ם | laʾăbôtêhem | la-uh-VOH-tay-HEM |
| scatter shall and | וְזֵרָ֖ם | wĕzērām | veh-zay-RAHM |
| them beyond | מֵעֵ֣בֶר | mēʿēber | may-A-ver |
| the river, | לַנָּהָ֑ר | lannāhār | la-na-HAHR |
| because | יַ֗עַן | yaʿan | YA-an |
| אֲשֶׁ֤ר | ʾăšer | uh-SHER | |
| they have made | עָשׂוּ֙ | ʿāśû | ah-SOO |
| אֶת | ʾet | et | |
| their groves, | אֲשֵׁ֣רֵיהֶ֔ם | ʾăšērêhem | uh-SHAY-ray-HEM |
| Lord the provoking | מַכְעִיסִ֖ים | makʿîsîm | mahk-ee-SEEM |
| to anger. | אֶת | ʾet | et |
| יְהוָֽה׃ | yĕhwâ | yeh-VA |
Cross Reference
ગીતશાસ્ત્ર 52:5
પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે; અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
2 રાજઓ 15:29
ઇસ્રાએલના રાજા પેકાહના શાસન દરમ્યાન આશ્શૂરનો રાજા તિગ્લાથે-પિલેસેરથી ચઢી આવીને ઇયોન, આબેલ બેથ-માઅખાહ, યાનોઆહ, કેદેશ, હાસોર, ગિલયાદ તેમ જ ગાલીલ અને નફતાલીના બધા પ્રદેશને સર કરી લીધાં અને ત્યાંના લોકોને આશ્શૂરમાં બંદી બનાવીને લઇ ગયો.
યહોશુઆ 23:15
સારાઁ વચનો જે યહોવાએ આપ્યાં હતાં, તેણે તેમાંના બધાં પાળ્યાં છે, અને જો તમે તેનું પાલન નહિ કરો તો તમાંરા બધા પર વિપત્તી આવશે અને તે તમને દબાણ કરી આ બધી ભૂમિમાંથી કાઢશે જે તેણે તમને આપી હતી અને તમાંરો નાશ કરશે.
નીતિવચનો 2:22
પણ દુષ્ટોનું પૃથ્વી પરથી નિકંદન નીકળી જશે. અને જેઓ કપટ કરનારા છે તેમને સમૂળગા ઉખેડી નાખવામાં આવશે.
પુનર્નિયમ 12:3
તેમની અગ્નિ વેદીઓ વિખેરી નાખો, તેમના સ્માંરક સ્તંભોને ભાંગી નાખો. અશેરીમના થાંભલાને બાળી નાખવા અને તેમના દેવોની મૂર્તિઓ તોડી નાખો. યાદ રાખો- તમાંરે તેમનું નામ તે જગ્યાએથી ભૂંસી નાખવાનું છે.
નિર્ગમન 34:13
પણ યાદ રાખો, તમાંરે તેમની વેદીઓ તોડી પાડવાની છે, તેમના પૂજાસ્તંભો તોડી નાખવાના છે. અને તેઓની અશેરાહ દેવીની મૂર્તિઓ ભાંગી નાખવાની છે.
આમોસ 5:27
તેથી હું તમને દમસ્કની હદ પાર દૂર દેશવાટે મોકલી દઇશ.” આ વચનો તેના છે જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.
સફન્યા 2:4
કારણ કે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઇ જશે. આશ્દોદના લોકોને ખરે બપોરે હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનનો ઉચ્છેદ કરવામાં આવશે.
માથ્થી 11:7
યોહાનના શિષ્યો પાછા ફરવા તૈયાર થયા, ઈસુએ લોકોને શું જોવા ઈચ્છો છો તે પૂછયું અને કહ્યું, “તમે ઉજજડ પ્રદેશમાં યોહાન પાસે ગયા ત્યારે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને જોવા ગયા હતા? ના!
માથ્થી 15:13
ઈસુએ ઉત્તર આપ્યો, “મારા આકાશમાંના બાપે રોપ્યાં નહિ હોય એવા દરેક છોડને મૂળમાંથી ઉખાડી નાંખવામાં આવશે.
લૂક 7:24
યોહાનના સંદેશાવાહકો ગયા પછી ઈસુએ યોહાન વિષે લોકોને કહેવાનું શરૂ કર્યુ: “રેતીના રણમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને?
પ્રેરિતોનાં ક્રત્યો 7:43
તમે માલોખનો માંડવો અને તમારા રમ્ફા દેવનો તારો લઈને આવ્યા છો. આ મૂર્તિઓ તમે પૂજા કરવાને બનાવી છે. તેથી હું તમને બાબિલને પેલે પાર મોકલી દઈશ.’
આમોસ 2:9
“તમે જ્યારે કેનાનમાં દાખલ થયા ત્યારે અમોરીઓ ત્યાં હતા, તેઓ દેવદારના વૃક્ષ જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા ખડતલ હતા. પણ તમારા માટે મેં તેઓને સમાપ્ત કર્યા હતા, હા, મે તેઓની શાખાઓ અને તેઓના મૂળિયાઓનો નાશ કર્યો.
યશાયા 1:28
પણ ગુનેગારો અને પાપીઓનો એક સાથે નાશ કરવામાં આવશે. અને જેઓ યહોવાનો ત્યાગ કરશે તેઓ હતા ન હતા થઇ જશે.
લેવીય 26:43
“કારણ કે ભૂમિ જયાં સુધી ઉજજડ પડી રહેશે તેટલો સમય તે પોતાના સાબ્બાથો વિશ્રામના વર્ષો માંણશે, પરંતુ માંરી આજ્ઞાઓના ઉલ્લંઘન કર્યા બદલ અને માંરા નિયમોને ધિક્કારવાના કારણે જ તેઓ ઉપર આ ભારી શિક્ષા આવી પડી છે તેનું તેઓને ભાન થશે, અને તેઓ પૂરેપૂરી સજા ભોગવશે.
પુનર્નિયમ 4:26
અને હું આકાશ તથા પૃથ્વીની સાક્ષીએ તમને કહું છું કે, તમે યર્દન ઓળંગ્યા પછી જે ભૂમિનો કબજો લેવાના છો તેમાંથી તમે થોડા જ સમયમાં સમાંપ્ત થઈ જશો. ત્યાં તમે લાંબો સમય નહિ રહો અને તમાંરો નાશ થશે.
પુનર્નિયમ 28:36
“યહોવા તમને અને તમાંરા નિયુકત કરેલા રાજાને વિદેશી પ્રજા વચ્ચે દેશવટે લઈ જશે કે જેનો તમે અને તમાંરા પિતૃઓએ કદીય વિચાર કર્યો નહિ હોય અને ત્યાં તમે લાકડાના અને પથ્થરના બનાવેલા બીજા જ દેવોની પૂજા કરશો.
પુનર્નિયમ 28:63
“જે રીતે યહોવાએ તમાંરા પર પ્રસન્ન થઈને તમાંરા માંટે અદભૂત કાર્યો કર્યા અને તમાંરી વંશવૃદ્ધિ પણ કરી તેટલી જ પ્રસન્નતા તેમને તમાંરો નાશ કરવામાં તેમ જ તમાંરું નિકંદન કાઢવામાં થશે. તમે જે પ્રદેશમાં દાખલ થાઓ છો તે પ્રદેશમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.
પુનર્નિયમ 29:24
“આ જોઈને બધી પ્રજાઓ પૂછશે, ‘યહોવાએ પોતાના આ પ્રદેશના આવા હાલ શા માંટે કર્યા? એના ઉપર આવો ભારે રોષ શા માંટે ઉતાર્યો?’
1 શમુએલ 12:25
પણ જો તમે પાપકર્મમાં રચ્યા પચ્યા રહેશો, તો તમાંરો અને તમાંરા રાજાનો નાશ નિશ્ચિત છે એમ જાણજો.”
1 રાજઓ 14:9
તેઁ તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યા છે, તેં બીજા દેવોની મૂર્તિઓ બનાવી છે, અને સોનાના વાછરડા બનાવીને માંરો રોષ વહોરી લીધો છે; તેં તો માંરી અવગણના કરી છે.
1 રાજઓ 14:23
તેમણે દરેક ઊંચી ટેકરી અને દરેક છાયો આપતા વૃક્ષ નીચે લોકોએ ઉચ્ચસ્થાને પવિત્ર સ્તંભો અને અશેરાહના સ્તંભ બાંધ્યા.
2 રાજઓ 17:6
હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.
2 રાજઓ 17:23
આખરે પ્રબોધકોએ જે ભવિષ્યકથન કર્યું હતું તે બધું જ બન્યું. એટલે સુધી કે યહોવાએ તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. ઇસ્રાએલીઓને તેમનું વતન છોડવું પડ્યું અને તેમને આશ્શૂર જવા માટે વિદાય કરવામાં આવ્યા, અને આજે પણ તેઓ ત્યાં જ છે.
2 રાજઓ 18:11
તે વખતે આશ્શૂરનો રાજા ઇસ્રાએલી લોકોને પકડીને લઈ ગયો. તેણે તેઓને આશ્શૂરના નગર હલાહમાં, ગોઝાન પ્રદેશમાં, હાબોર નદીના કિનારા પર અને માદીઓનાં નગરોમાં વસાવ્યા.
લેવીય 26:32
હું તમાંરા દેશને એવો તારાજ કરી નાખીશ કે તમાંરા દુશ્મનો જે તેમાં વસશે તેઓ પણ તમાંરી દુર્દશા જોઈને આભા બની જશે.